વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO)ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારથી દર વર્ષે હર્ષ ઉલ્લાસથી 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે આજરોજ અંકલેશ્વર શહેર માં પણ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતાં. આ રેલી અંકલેશ્વર રેલવે સ્ટેશન બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા થી શરૂ થય શહેર ના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. આ રેલીમાં અસંખ્ય આદિવાસી સમાજના આગેવાનો,યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતાં. દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે.

વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ભરુચ જીલ્લામાં વિવિધ સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાય હતી.

રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્રા અને લોક નૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું.અંકલેશ્વર ભરૂચી નાકા ખાતે આવેલ બિરસામૂડાની પ્રતિમા ખાતે રેલીનુ સમાપન થયુ હતું કોઈ અનિછનીય બનાવ ન બને તેમજ શાંતિભર્યા વાતાવરણમાં રેલી સંપન્ન થાય તે હેતુસર અંકલેશ્વર શહેર પોલીસ પણ ખડેપગે તૈનાત જોવા મળી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com