સમગ્ર દેશમાં 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી છે.ત્યારે દેશમાં હર ઘર તિરંગના અભિયાનના ભાગરૂપે દેશમાં આઝાદીના માહોલમાં રંગાઈ જ્યાં જુવો ત્યાં દેશ ભક્તિ જોવા મળી રહી છે. શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ,સરકારી કચેરીઓ દ્વારા તિરંગા રેલીઓ અને નારાઓથી વાતવરણ દેશ પ્રેમમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે.ત્યારે આજે 15 મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં સરકારી,અર્ધ સરકારી,શાળાઓ,નગરસેવા સદનો, પંચાયતો સહિતના સ્થળોએ રાષ્ટ્ધ્વજને આન બાન સાથે ફરકાવવામાં આવ્યો છે. જેમાં ભરુચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. ભરુચ જીલ્લામાં પણ ઠેર-ઠેર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
જે અંતર્ગત ભરૂચમાં આવેલી હોલી એન્જલ્સ કોનવેંટ સ્કૂલ ખાતે પણ સ્વાતંત્ર પર્વની ‘આન બાન અને શાન સાથે ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. શાળાના પ્રાંગણમાં આચાર્યના હસ્તે ધવજ્વંદન કરાયું હતું. ત્યાર બાદ શાળાના બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી દેશ ભક્તિના ગીતો રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યાર બાદ દેશની આઝાદી અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ વેળાએ શાળમાં ધોરણ-10 અને 12 માં ઉત્કૃસ્ત પરિણામ લાવનાર વિધ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિધ્યાર્થીઓ સહિત આસપાસના લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
દેશને 15 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 15 ઓગસ્ટ ભારતીયો માટે ગર્વ અને ખુશીનો દિવસ છે. આ દિવસે ભારતના લોકો ગુલામીમાંથી મુક્ત થયા હતા. ગૌરવની એ ક્ષણને કોઈ ભૂલી શકે તેમ નથી. આ દિવસના મહત્વ વિશે જાણવા માટે, આપણે તેનો ઇતિહાસ જાણવો જરૂરી છે. 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સત્તાવાર રીતે ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું.
ત્યારથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતીય વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કરે છે. આ મહત્વપૂર્ણ પ્રસંગ વર્ષોના અવિરત સંઘર્ષ, અહિંસક પ્રતિકાર અને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અન્ય ઘણા લોકોના બલિદાન પછી આવ્યો છે. આ નેતાઓએ આઝાદીની લડત શરૂ કરી હતી. ભારત છોડો આંદોલનના કારણે આખરે વર્ષ 1947માં ભારતીય નાગરિકોને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. આ દિવસ દેશભરમાં ઉજવવામાં આવે છે. શાળાઓ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. લોકો સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને ધ્વજવંદન સમારોહમાં ભાગ લે છે. પ્રધાનમંત્રી દેશની પ્રગતિ અને લક્ષ્યાંકોને દર્શાવતા લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરે છે. ભરૂચની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ, જે.બી મોદી સ્કૂલ, નંદેલાવ, ઉન્નતિ વિદ્યાલય, નગરપાલિકા, SMCP સંસ્કાર વિદ્યા ભવન સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.