Geo Gujarat News

અંકલેશ્વર: પાનોલી GIDC માંથી જતી NCTLમાં લાઇન લિકેજથી મચ્છુ ખેડૂતો પરેશાન

પાનોલી GIDC માંથી પસાર થતી NCTL માં જતી પીરામણ ગાંવની હદમાં આવેલા સર્વે નંબર 71 પાસે લાઇનના લીકેજને કારણે તળાવમાં કેમિકલ યુક્ત કાળું પાણી ભરાઈ ગયું છે, જેના પરિણામે મચ્છુ પાળતા ખેડૂત ઇકરામ ઈકવાલ શેખના તળાવમાં અનેક માછલીઓના મોત થયા છે. આ દુર્ઘટનાએ ખેતરને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તે હવે આર્થિક સંકટમાં મુકાયો છે.

જાગૃત નાગરિક જુનેદ પંચભાયાએ આ ઘટના અંગે તાત્કાલિક પગલાં લેતા GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) ને જાણ કરી છે. તેમણે GPCB ને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો છે, જેથી આવી ઘટનાઓની પુનરાવૃત્તિ ન થાય અને ખેડૂતોને ભવિષ્યમાં આવા નુકસાનમાંથી બચાવી શકાય.

GPCB તરફથી આ અંગેની તપાસ શરૂ કરાઈ છે અને તેઓ શીઘ્રમાં જવાબદાર તત્વો સામે યોગ્ય પગલાં લેશે તેવી અપેક્ષા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *