Geo Gujarat News

ભરૂચ: નબીપુર ખાતે દરગાહ શરીફના સંડલ શરીફની વિધિ સંપન્ન, મોટી સંખ્યામાં દરેક ધર્મના ભાવિકો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ હઝરત સૂફી સંત પીરખોજનશા બાવા ની દરગાહ આવેલ છે જેના ઉર્ષ મુબારકના મોકા ઉપર ગઈકાલે રાત્રે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ દરગાહ મા કુરાન ખવાની રાખવામાં આવી હતી.

અને ત્યારબાદ દાવલશા સ્ટ્રીટ માંથી શ્રદ્ધાળુઓ સંદલ શરીફ લઈને નીકળ્યા હતા. શ્રધ્ધારુઓ નાતશરીફ ના પઠન સાથે દરગાહના પ્રતાનગણ મા પહોંચ્યા હતા. દરગાહમાં પહોંચ્યા પછી સંદલ ની વિધિ મુખ્ય અતિથિ વિશેષો ની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. સંદલ ની રસમ નબીપુર જુમ્મા મસ્જિદના પેશ ઇમામ ના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે સૈયદ ગુલામ રસુલ કારટવી, શિનોર દરગાહના ગાદી નશીંન હઝરત શમશાદ બાવા અને ટંકારીઆ સ્થિત પાટણ વાળા બાવા ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ નિયાઝનું મોટા પ્રમાણ મા વિતરણ કર્યું હતું. સંદલ મા વૃદ્ધો, યુવાઓ અને બાળકો સાથે દરેક ધર્મના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. સંદલની રસમ સલાતો સલામ સાથે પૂર્ણ થઈ હતી.

સલીમ કડુજી, નબીપુર

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *