રાષ્ટ્રીય સેવક સંઘ જંબુસર દ્વારા સરસ્વતી વિદ્યા મંદિરમાં ‘જન સેવા એ જ પ્રભુ સેવા” અંતર્ગત રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જંબુસર શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્વયંસેવકોએ તથા રક્તદાતાઓએ ખૂબજ મોટી સંખ્યામાં રક્તદાન કરીને માનવતા કાર્ય કર્યું હતું. આ પ્રસંગે અજીતસિંહ પરમાર, ભર્તુહરિ જાદવ, પાર્થ ભાવસાર, ડૉ શર્મા તથા વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળાએ ઉપસ્થિત હર્ષદસિંહ ગોહિલે જણાવ્યું હત હતું, કે ખૂબ મોટી સંખ્યામાં 245 રક્તદાતાઓએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો છે. જે બદલ દરેક રક્તદાતાઓનો હું દિલથી આભાર માનું છું.
Author: geogujaratnews
Views: 299