ઉઠો જાગો ઓર હિન્દુ હિત કે સાથ ચલો ના જય ઘોષ સાથે પરંપરાથી ચાલ્યા આવેલ કેશકર્તનના વ્યવસાયને સન્માન, સ્વાભિમાન અને આત્મગૌરવના ભાવ સાથે વાળંદ એકતા સંગઠન પોતાના પારંપરિક વ્યવસાયનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની પહેલમાં પ્રથમ પગથિયું માંડતા લીંબચ માતાની વાડી,ઝાડેશ્વર ખાતે હિન્દુ વાળંદ એકતા સંગઠન ની પ્રથમ સભા મળી હતી. જેમાં પ્રત્યક્ષ સાનિધ્ય પ.પૂ મુકતાનંદ સ્વામીજી તેમજ મિલિંદભાઈ પટેલ-પ્રમુખ હરિપ્રબોધમ પરિવાર નું પ્રાપ્ત થયું હતું. જેમાં વાળંદ સમાજ પ્રમુખ ઈન્દુભાઈ, આરએસએસના મેહુલભાઈ વાળંદ સહિત અન્ય અગ્રણીઓ અને કેશ કર્તન વ્યવસાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com