મહેસાણાથી એક પરિવાર પોતાની કાર લઇ સુરત જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવર બ્રીજ ઉપર અચાનક કારમાંથી ધુમાડા નીકળતાં પરિવાર સમય સુચકતા વાપરી નીચે ઉતરી ગયો હતો. જે બાદ જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી.

કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કારચાલકે ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની નહિ થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. કારમાં આગ શોર્ટ-સર્કીટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com