જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ભરૂચના હાંસોટમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોએ આ માર્ચમાં ભાગ લીધો હતો. પર્યટકો પર થયેલા આ આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. હાંસોટમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ કેન્ડલ પ્રજ્વલિત કરી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સાથે જ આતંકવાદીઓને કડક સજા આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જે.ડી. પટેલ, આગેવાન વનરાજસિંહ પટેલ અને જીગ્નેશ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી.