Geo Gujarat News

આમોદ: ભારત સરકાર દ્વારા કરાયેલ એરસ્ટ્રાઈક મુદ્દે ધારાસભ્ય ડી.કે સ્વામીએ આપી પ્રતિકિયા

આમોદ-જંબુસર ધારા સભ્ય દેવ કિશોર સ્વામી દ્વારા પહેલગામ આંતકવાદી હુમલામા નિર્દોષ પ્રવાસીઓના નામ પૂછીને અને ધર્મ પૂછીને નિર્મમ હત્યા બાબતે આપરી આર્મીએ જે વરતો સિંદૂર મિશન અંર્તગત જવાબ આપ્યો છે. અને પાકિસ્તાન સ્થિત આતંકવાદીનઆ નવ જગ્યા એર સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓનો ખાત્મો કરી નાખ્યો છે એ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. એમ જણાવી નગરજનોને અપીલ કરી છે કે, ધીરજ જાળવીશું આર્મીને સપોર્ટ કરીશું સરકાર જયારે-જ્યારે જે સૂચના આપે તેનું પાલન કરીશું. આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા ભારત સરકારના એર સ્ટ્રાઈક પેહલાના મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અમને આશા છે. કે, અમારા વડાપ્રધાન અને ગૃહ મંત્રી ટૂંક સમયમાંજ જવાબ આપશે. અમારી સરકાર ક્યારેય આંતકવાદીઓને છોડતી નથી અને છોડશે પણ નહીં. ઇટનો જવાબ પથ્થરથી આપવામા આવશે. જે પાકિસ્તાની આતંકવાદીઓથી ઘેરાયેલું છે. અને સતત હુમલા કરીને ભારતના નિર્દોસ લોકોની હત્યા કરી રહેલા છે. એનો જવાબ ટૂંક સમયમા આપવા આવશે તે વાત સાચી પડી છે.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *