આમોદ તાલુકાના પૂરસા ગામે પંચાયતના સરપંચ વિરુદ્ધ સાત સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી તારીખ ૨૫ એપ્રિલ ૨૦૨૫ના રોજ ગ્રામ પંચાયતને લેખિત આપી હતી.જેના અનુસંધાને તારીખ ૨૦ મી મે ૨૦૨૫ ના રોજ બપોરે ૧૨ કલાકે ગ્રામ પંચાયત પુરસા ખાતે આમોદ તાલુકા પંચાયત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને અધ્યાસી અધિકારી તરીકે નિરંજનભાઇ.ડી.પ્રજાપતિની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રામ પંચાયતમાં હાજર રહેલાં સાત સભ્યોએ સરપંચની વિરૂદ્ધમાં અવિશ્વાસ તરફેણમાં પોતાનો મત આપતાં પુરસા ગામના મહિલા સરપંચ લખીબેન છગનભાઈ પરમાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી.જેથી લખીબેન પરમારને સરપંચ પદેથી ઘરભેગા કરવામાં આવ્યાં હતાં.

અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવાનું કારણ એવું બતાવવામાં આવ્યું હતું કે સરપંચ દ્વારા કોઈપણ સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નહોતા.જેના કારણે આ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com