હાંસોટ સ્થિત પૌરાણિક વેરાઈ માતાના મંદિર ના દ્વિતીય પાટોત્સવ નિમિતે તા. 27/05/2025 ના રોજ એક ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞની પૂર્ણ હુતી બાદ માતાજીની શોભા યાત્રા ટ્રેક્ટર માં કાઢવામાં આવી હતી.શોભાયાત્રા માતાજી ના મંદિરે થી રત્નેશ્વર મહાદેવ મંદિર થઇ ગાંધીચોક, સોનીફળીયા, રાજાલાલના ચકલા થઈ પોલીસ ચોકી સર્કલ થઇ વેરાઈ માતાના મંદિરે પરત ફરી હતી શોભાયાત્રા માં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજી ના દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી દરમિયાન મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇસુબ દિવાન, હાંસોટ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com