Geo Gujarat News

ઝઘડીયા: ભાલોદ ગામે ગંગાદશહરા મહોત્સવની રજત જયંતિ મોહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠે વસેલા ભાલોદ ગામમાં દરવર્ષે પરંપરાગત રીતે યોજાતા ગંગાદશહરા મહોત્સવની આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેઠ સુદ એકમથી જેઠ સુદ, દશમ સુધીમાં ગંગા-નર્મદા નદી સ્નાન કરવાનુ મહત્વ વધારે હોય છે ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા ગંગાદશાહરા મોહત્સવની ઊજવણી કરી હતી જેમા મોટી સંખ્યામા ભાલોદ ગામ તેમજ દૂરના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રધ્ધાળુઓથી છલકાય ગયુ હતું ગંગાદશાહરા મોહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસ ના કાર્યક્રમો યોજાયા હતા.જેમા મેઈન બજારમા આવેલા મહાકાળી માતાના મંદીરેથી ગતરોજ બપોરના 5 કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યાર બાદ ભાલોદ ગામ ના વિવિધ વિસ્તાર માં ફરી નર્મદા નદી કિનારે સપન્ન થઈ હતી. તેમજ નદી કિનારે તાજેતરમા લગ્નન ગ્રથી જોડાયેલા નવયુગલ દ્વારા માં નર્મદાનુ પૂજન તેમજ સમૂહમા મહાઆરતી કરી હતી. તે બાદ એક કિનારે થી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી, આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *