

ભરૂચ જિલ્લાની જંબુસર-આમોદ વિધાનસભાના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ પવિત્ર દિવાળી પર્વ તેમજ નવા વર્ષ નિમિત્તે મતવિસ્તારના તમામ પ્રજાજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે. ધારાસભ્યએ એક સંદેશમાં જણાવ્યું હતું કે, દિવાળી એટલે પ્રકાશનું પર્વ, અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ. હું પ્રાર્થના કરું છું કે આ દિવાળી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નવી ઊર્જાનો સંચાર કરે. નવા વર્ષે સૌના ઘરમાં આનંદની જ્યોત પ્રજ્વલિત થાય અને દરેકના સપના સાકાર થાય. તેમણે ઉમેર્યું હતું કે, આવનારું વિક્રમ સંવતનું નવું વર્ષ સૌના જીવનમાં એક નવી શરૂઆત અને પ્રગતિના નવા માર્ગો લઈને આવે તેવી મારી દિલથી શુભેચ્છા છે. આમોદ અને જંબુસર વિસ્તારના વિકાસ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને આપ સૌના સહકારથી આપણો વિસ્તાર પ્રગતિના નવા શિખરો સર કરશે. ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ સૌને પ્રદૂષણમુક્ત અને સુરક્ષિત દિવાળી ઉજવવા તેમજ કોરોનાના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. તેમણે આ પર્વ નિમિત્તે સૌના ઘરોમાં લક્ષ્મીજીના આગમનની અને નવા વર્ષે ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી હતી. ધારાસભ્યની આ શુભકામનાઓથી સમગ્ર વિસ્તારના પ્રજાજનોમાં ઉત્સાહ અને હર્ષની લાગણી છવાઈ ગઈ છે.
યાસીન દિવાન, આમોદ


Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com