Geo Gujarat News

ભરૂચમાં મૂળનિવાસી બહુજન સંગઠનો દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર, ઓડિશામાં બંધ થયેલા રાષ્ટ્રીય અધિવેશન વિરુદ્ધ વિરોધ

ભરૂચમાં ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા, રાષ્ટ્રીય પછાત વર્ગ મોરચા અને રાષ્ટ્રીય પરિવર્તન મોરચાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રપતિને આવેદનપત્ર સુપરત કરાયું. આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ સુધી મોકલવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મૂળનિવાસી બહુજન સમાજના કર્મચારીઓના રાષ્ટ્રવ્યાપી સંગઠન બામસેફ અને તેના સહયોગી સંગઠન ભારત મુક્તિ મોરચાનું ડિસેમ્બર-૨૦૨૫માં ઓડિશામાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશન ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવ્યું છે. સંગઠનોનું કહેવું છે કે આ કાર્યવાહી ભારતના બંધારણમાં નાગરિકોને મળેલા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. ઉપરોક્ત સંગઠનો દ્વારા આ ઘટનાના વિરોધમાં ચાર ચરણોમાં રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આનો પ્રથમ ચરણ અનુસાર દેશભરમાં રાષ્ટ્રપતિને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચમાં આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા આવેદનપત્ર સોંપવામાં આવ્યું. પ્રસંગે મૂળનિવાસી બહુજન સમાજના વિવિધ સંગઠનોના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં લંકેશ મયાત્રા, ચેતન ગોહિલ, અનંત મોટાવલ, અરવિંદ પરમાર, ઈશ્વર વાઘેલા, નરેશ ગોહિલ, માવજી ખુમાણ, પરેશ મહેતા, નટવર રોહિત સહિત અનેક સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ ઉપક્રમે સંગઠનોની તાકીદ એ છે કે સરકાર ન્યાયાત્મક પગલાં લઈને બંધ કરેલા અધિવેશનને પુનઃસંચલિત કરે અને બંધારણીય અધિકારોની રક્ષા સુનિશ્ચિત કરે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.