નવયુગ વિદ્યાલય જંબુસરમાં “જન સેવા એ જ પ્રભૂ સેવા” અનુસાર જૂદી જૂદી સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે તે અતંર્ગત આજરોજ 286મો નિશુલ્ક નેત્ર યજ્ઞ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નવયુગ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે શંકરા આઈ હોસ્પિટલ મોગરના ડોક્ટર દ્વારા યોજાયો. જેમા જે. પી. મોદી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ ની શ્રેષ્ઠ કામગીરીને રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રતિનિધિ શ્રી શૈલેષભાઈ બી. શાહે બિરદાવી હતી આ પ્રસંગે પ્રવીણભાઈ મિસ્ત્રી મૌનેશભાઇ કેમ્પ મેનેજર શ્રી આશિષભાઈ તથા આ કેમ્પ ને સફળ બનાવવા માટે વિશેષ મહેનત કરતા શ્રી ગીરીશભાઈ ગોહીલ ઉપસ્થિત રહ્યા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com