લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મતદાન શપથ ગ્રહણ,રંગોળી સ્પર્ધા,મહેંદી,શેરી નાટક વગેરે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.ત્યારે મતદાનને હવે ગણત રીના દિવસો જ બાકી હોતા જિલ્લાના વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા ખ્યાતનામ લોકો જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે અનુરોધ કરી રહ્યા છે.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ ઝીલીયા આશ્રમના સંચાલક અને પદ્મ શ્રી માલજીભાઈ દેસાઈએ લોકોને મતદાન કરવા માટે અનુરોધ કરતા જણાવ્યું હતુ કે બંધારણમાં આપણે સૌને જે હકો અને ફરજ આપવામાં આવ્યા છે.તેમાં સૌથી મોટો હક છે મત આપવાનો હક.લોકશાહીમાં લોકોની ભાગીદારી જરૂરી છે.હાલમાં આપણા દેશમાં ચૂંટણીનો મહાપર્વ ચાલી રહ્યો છે.તેથી ઝીલીયા આશ્રમના સંચાલક અને લોકસેવક તરીકે મારી તમામ નાગરિકોને અપીલ છે કે આપણને જે હક મળ્યો છે તેનો આગામી ૭ મી મેના રોજ ઉપયોગ કરી એ.જેમ આપણે આપણા ધાર્મિક અને સામાજીક પ્રસંગો ઉજવીએ છીએ એમ જ ઉમળકાભેર મતદાન કરીને આ મહાપર્વને ઉજવીએ.પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વયો વૃદ્ધ અને શારીરીક રીતે અશક્ત લોકો માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.તેથી મતદાનના દિવસે થોડો સમય ફાળવીને અવશ્ય મતદાન કરીએ.