Geo Gujarat News

અરવલ્લી: શામળાજી રણછોડજી મંદિર ખાતે મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સભાસદોને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભિલોડા તાલુકાના શામળાજી ખાતે ના બોર્ડના માનવ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા મધમાખી પાલન માટે મેશ્વો ફાર્મર પોડ્યુસર કંપની દ્વારા PPOની સ્થાપના કરવામાં આવી. આ કંપનીના કુલ ૧૦૦ સભાસદ ભાઈ બહેનો નોંધાયેલ છે. કંપની રજીસ્ટર થતા સભાસદોને પ્રોત્સાહન મળે અને જાગૃતતા વધે એના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગેનાં બોર્ડ દ્વારા DDM હરચંદાની માનવ ઉસ્થાન ટ્રસ્ટના નિયામકશ્રી અમસિહજી બાગાયત વિભાગના અધિકારી શ્રી રિલાયન્સ ફાઉન્ડેશન શ્રીમતિ વર્ષાબેન બાયફ સંસ્થાના પ્રતિનિધિ શ્રી પાંડેજી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને માહિતી અને માર્ગદર્શન આપ્યુ હતું.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કંપનીના ચેરમેન શ્રી નરેશ કટારા તથા કંપનીના CBO શ્રી રાયમલ પગી દ્વારા કરવામાં આવ્યુ.મેશ્વો ફાર્મર કંપનીના ડાયરેકટર શ્રી ઓને જેહમત ઉઠાવી હતી, આ પ્રસંગે છાંયડો ટ્રસ્ટ દ્રારા સંસ્થા ની ટીમનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *