અંકલેશ્વરના અંદાડા ગામની સૌરભ નગર સોસાયટી-2માં 25 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સૌરભ નગર સોસાયટી-2માં રહેતા 25 વર્ષીય મુનાલ ભટ્ટએ અગમ્ય કારણોસર પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો બનાવ અંગે પરિવાજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com