આગામી તારીખ ૧૭ જૂન ના રોજ મુસ્લિમ સમાજ નો બકરી ઈદનો તહેવાર દેશભરમાં ઉજવાશે. તે સંદર્ભે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે નબીપુરના પી. એસ. આઈ. એસ. આર. મેઘાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી. જેમાં નબીપુર, હિંગલ્લા, સિતપોણ, ઝંઘાર, સેગવા, બબુંસર, ઝનોર, અસુરીઆ, લુવારા ગામોના સરપંચો અને આગેવાનો હાજર રહયા હતા. આ સમિતિમાં ઇદના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું, શાંતિ ભંગ ન થાય તેના ઉપર વિશેષ ભાર મૂકાયો હતો.

શાંતિ ન દહોળાય તે બાબતે પોલીસ અને તંત્રને પૂરો સહયોગ આપવા તમામને અપીલ કરાઈ હતી. શાંતિ સમિતિમા હાજર તમામ સરપંચો અને આગેવાનોએ તંત્રને પૂરો સહકાર આપવાની અને શાંતિ બનાવી રાખવાની ખાત્રી એક સૂરમા આપી હતી. આ બેઠકમાં નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.
સલિમ કડુજી, નબીપુર
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com