Geo Gujarat News

આમોદ: બચ્ચોકા ઘર ખાતે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

આયોજિત કેમ્પમાં ફ્રાન્સ (રિન્યુન ) થી પધારેલ બચો કા ઘરના ટ્રસ્ટી કે જેઓની પ્રેરણાથી દવાખાનાની સ્થાપના કરવામાં આવી હતી. એવા સખીદાતા મૌલાના ઈસ્માઈલ દયાદરવી સાહેબે પણ કેમ્પની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી. ભરૂચ-જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ, તથા બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.

25 જેટલા દર્દીઓને ઓપરેશન માટે શંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા..

આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકરા હોસ્પિટલના ડોકટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી. આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં અંદાજીત 50 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ જરૂરિયાતવાળા મોતિયાના અંદાજીત 25 જેટલા દર્દીઓને ઓપરેશન માટે શંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. તેમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આયોજિત કેમ્પમાં 50 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો

બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. આયોજિત કેમ્પમાં 50 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત કૅમ્પમાં આવેલ દર્દીઓ સહિત સેવાઓ પ્રદાન કરનાર તબીબી ટીમને ચા, નાસ્તો, જમવાનું સહિતની વ્યવસ્થા બશિર રાણા સહિત બચ્ચોકા ઘરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ હતી. આમોદ-જંબુસર માર્ગ પર આવેલી બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરનું દવાખાનું આમોદ, પુરસા, આછોદ, મછાસરા, માંગરોલ, તણછા સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

ઉલ્લેખનીય છે, કે આમોદ બચ્ચો કા ઘરના ટ્રસ્ટીઓ કે જેમની પ્રેરણાથી બચ્ચો કા ઘર આમોદની દેખરેખ હેઠળ દવાખાનાની સ્થાપના કરવામાં આવી હતી. મોલાના ઇસ્માઇલ દયાદરાવાળા સાહેબના સહકારથી બચ્ચો કા ઘરના રાહત દરના દવાખાના ખાતે જે પણ દર્દી દવા લેવા માટે આવે છે. તેમને નજીવા દરે દવા આપવામાં આવે છે.

મોલાના ઇસ્માઇલ : સખીદાતા
મૌલાના ઇસ્માઇલ (દયાદરવી) : સખીદાતા

મૌલાના મૂળ દયાદરા ગામના વતની છે પણ તેમને હાલ રીન્યુંન ( ફ્રાન્સ) ને વતન બનાવેલ છે મૌલાના ખામોશ કોમના ખુબજ મોટા ખિદમત ગુજાર છે અને ગુજરાતની ગણી બધી નામાંકીત સંસ્થાઓ સાથે જોડાયેલ છે . મૌલાના સાહેબ શંકરા આઈ હોસ્પિટલ ના સહયોગથી દર મહિનાના ત્રીજા રવિવારે યોજીતા આપીને આ કેમ્પની મુલાકાત લઈ ખુબજ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં આ દવાખાનાને જે કોઈ પણ જરૂરિયાત હસે ને પૂરી કરવાની ખાત્રી આપી હતી.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *