Geo Gujarat News

વાગરા: વસ્તી ખંડાલી ગામે અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરાયું, ઠેર-ઠેર પાણીજ પાણી

વાગરા પંથકમાં ધોધમાર વરસાદને પગલે વસ્તી ખંડાલી ગામે વરસાદી પાણી ભરાતા વાગરા મામલતદારે સ્થળ મુલાકાત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભારે વરસાદના કારણે વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામ ખાતે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવા માટે વાગરા મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવી હતી. વસ્તી ખંડાલી ગામ ખાતે વાગરા મામલતદાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં વિઝીટ કરવામાં આવતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી અને કેટલાક મકાનો જર્જરિત હોવાથી મામલતદાર દ્વારા તેમને પ્રાથમિક શાળા ખાતે ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *