શ્રી શેત્રુંજય મહાતીર્થ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી તે ૫૦ મીટરની ઊંચાઇએ શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. આ ટેકરીઓ અન્ય ટેકરીઓ જ્યાં જૈન મંદિરો આવેલા છે તેવી ટેકરીઓ – બિહાર, ગ્વાલિયર, માઉન્ટ આબુ અને ગિરનારમાં સાથે સમાનતા ધરાવે છે. શત્રુંજય પર્વત પર ૮૬૫ જૈન મંદિરો આવેલા છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર, ભગવાન ઋષભદેવે પર્વતની ટોચ પર મંદિરમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા હતા. ટેકરીઓનો પ્રાચીન ઇતિહાસ પણ પુંડરિક સ્વામી, મુખ્ય ગણધર અને ઋષભદેવના પૌત્ર, જેમણે અહીં મુક્તિ મળી હતી.તેમના પવિત્ર મંદિરથી સામેની બાજુએ આવેલા તેમના મંદિર, તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવેલા છે, યાત્રાળુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે.

શેત્રુંજયને પુંદરિકીગિરિ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે પુંદરિકને આ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત થયું હતું. શત્રુંજય મહાત્મ્ય અનુસાર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજીએ અહીં પોતાનો પ્રથમ ઉપદેશ આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું. તેમના પૌત્ર પુંડરિકને આ સ્થળે મુક્તિ મળી હતી તેથી આ સ્થળ શરૂઆતમાં “પુંડરિકગિરિ” તરીકે પ્રસિદ્ધ થયું હતું. અહીં પુંડરિક સ્વામીની આરસની મૂર્તિ છે જેને વીર સંવત ૧૦૬૪ (ઈ.સ. ૧૧૨૦) માં વિધ્યાધરકુળના મુનીની દીક્ષા એટલે કે સંલેખણા પ્રસંગની યાદગીરિમાં શ્રેષ્ઠી અમેયક દ્વારા સ્થાપિત કરાઈ હતી. પુંડરિકના પિતા અને બાહુબલીના ભાઈ ભરત ચક્રવર્તી પણ શત્રુંજય પર ઘણી વખત આવ્યા હતા. પોતાના પિતા ઋષભ દેવની યાદમાં મંદિર તેમણેબંધાવ્યા હોવાનું મનાય છે. દંતકથાઓ અનુસાર આ સ્થળ ઘણાં અન્ય તીર્થંકર સાથે પણ જોડાયેલું છે.

પોતાના જીવનના અમુક કાર્યોને લીધે કે શારીરિક બીમારીને લીધે અથવા વૃદ્ધત્વને લીધે શ્રી સિદ્ધાચલ પટ્ટની યાત્રા કરી ન શકનાર ભાવિક ભક્તો માટે ઘર આંગણે એટલે કે ભરૂચના શકિતનાથ વિસ્તરમાં આવેલા શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને પોતાના ઘર આંગણે જ શ્રી સિદ્ધાચલ શત્રુંજય પટ્ટના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com