Geo Gujarat News

ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ, અધ્યક્ષ તરીકે દિનેશ અડવાણીની વરણી કરાઇ 

ભરૂચ જિલ્લાનાના પત્રકારોનું સંગઠન એવું ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા ભરૂચ જિલ્લા માહિતી કચેરીના હોલમાં યોજાઇ હતી જેમાં સર્વાનુમતે  આવનારા બે વર્ષ માટે પ્રમુખ તરીકે દિનેશભાઈ અડવાણીની નિમણૂક  કરવામાં આવી હતી. તેમજ કેક કટીંગ કરીને સંઘના સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી.

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ છેલ્લા દસ. વર્ષથી ભરૂચ જિલ્લાના પત્રકારો સહિત સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે કામગીરી કરી રહ્યું છે.  આજે તેને દસ વર્ષ પૂર્ણ થઈ 11માં વર્ષમાં પ્રવેશ થતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને વાર્ષિક સામાન્ય સભા ભરૂચ માહિતી કચેરીના હોલ ખાતે મળી હતી.જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જાન્યુઆરી 2024માં મળેલી ખાસ
સાધારણ સભાના તમામ ઠરાવોને વંચાણે લઇ બહાલી આપી દેવામાં આવી હતી.

કારોબારી બેઠકમાં લેવાયેલા તમામ ઠરાવોને વંચાણે લઈ તેને પણ સર્વાનુમતે બહાલી અપાઈ હતી. સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે હાજર સભ્યોના સૂચનોને પણ ધ્યાનમાં લઇ તેની નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2024-25 અને 2025-26 માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના અધ્યક્ષ તરીકે દિનેશભાઈ અડવાણીના નામનો પ્રસ્તાવ મુનીરભાઈ પઠાણ દ્વારા મુકવામાં આવ્યો હતો. તેને જીતુભાઈ રાણા રાણાએ ટેકો જાહેર કર્યો હતો. આ અંગે હાજર તમામ સભ્યોએ દિનેશભાઈ અડવાણીના નામ ઉપર સર્વાનુમતે ઠરાવ પસાર કરી તેઓને સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. સંઘના સ્થાપના દિવસને ધ્યાનમાં રાખી સંસ્થાના સભ્યો દ્વારા કેક કાપીને સંઘના સ્થાપના દિનની ઉજવણી પણ કરી હતી સભાના અંતે રાષ્ટ્રગીત સાથે  સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *