Geo Gujarat News

વાગરા: પણીયાદરા ગામે સરકારી, પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દીપક ફાઉન્ડેશન, દીપક ફેનોલિક્સ લિમિટેડ અને ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી, ભરૂચના વાગરા તાલુકાના પણીયાદરા ગામે સરકારી, પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.


મેન્ગ્રોવ સ્થાનિક રીતે તંવર તરીકે ઓળખાય છે. વિશ્વની સપાટીના 1% કરતા પણ ઓછો વિસ્તાર ધરાવે છે. ભારત દુનિયાનો ચોથો સૌથી મોટો મેન્ગ્રોવ વિસ્તાર ધરાવે છે, જે દુનિયા નો 3.1% હિસ્સો કવર/ધરાવે છે. ભારતમાં તેના 7,500 કિમી લાંબા દરિયાકિનારા પર 4,461 કિમી (59%) મેન્ગ્રોવ જંગલો છે. પશ્ચિમ બંગાળના સુંદરવનમાં સૌથી વધુ વિસ્તાર (2,097 ચોરસ કિમી), ત્યારબાદ ગુજરાત (1103 ચોરસ કિમી) અને આંદામાન અને નિકોબાર ટાપુઓ (604 ચોરસ કિમી) છે. ડોક્યુમેન્ટ્રી, પ્રેઝન્ટેશન અને ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓને ઇકોસિસ્ટમમાં મેન્ગ્રોવ્ઝની ભૂમિકા અને તે માનવ રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે અને વૈશ્વિક આબોહવા પરિવર્તનની અસરોથી આપણું રક્ષણ કેવી રીતે કરે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી. અમારી જમીનને ધોવાણથી બચાવવામાં મેન્ગ્રોવ્ઝની ભૂમિકા જાણીને વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા. પાણીનું શુદ્ધિકરણ, અને પોતાના વપરાશ અને આજીવિકા માટે ખોરાકના સ્ત્રોત પૂરા પાડવા. આ કાર્યક્રમમાં પાણીયાદરા ગ્રામ પંચાયતના શિક્ષકો અને તલાટી સહિત 95 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 27 વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ઈનામો જીત્યા હતા.


બાદમાં, 78મા સ્વતંત્રતા દિવસ 2024ની ઉજવણી નિમિત્તે સંરક્ષણ અને દેશભક્તિનો સંદેશ ફેલાવીને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ગામમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *