Skip to main content

Geo Gujarat News

હાંસોટ: ઈલાવના સદગુરુ ભદ્રાલય આશ્રમ ખાતે ભવ્ય લક્ષ્મી હવન યોજાયો, શ્રી સુક્તની ૨૭,૦૦૦ આહુતિઓથી વાતાવરણ ભક્તિમય બન્યું..

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા અંતર્ગત આવતા ઈલાવ ગામ સ્થિત પવિત્ર સદગુરુ ભદ્રાલય આશ્રમ ખાતે એક દિવ્ય અને આધ્યાત્મિક ઉત્સવ સમાન લક્ષ્મી હવન મહાયજ્ઞનું સભર આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સ્નેહલ મહેતા મહારાજના દિવ્ય સાનિધ્ય અને પ્રેરણાથી યોજાયેલા આ ધાર્મિક ભક્તિ અને ભજન સમારોહમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. આ પાવન પ્રસંગે સમગ્ર આશ્રમ પરિસરમાં મા લક્ષ્મીજીની કૃપા અને પવિત્રતાની પ્રાપ્તિ અર્થે વિધિવત રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી સુક્તની ૨૭,૦૦૦ આહુતિઓ અર્પણ કરીને મહાહવન સંપન્ન કરવામાં આવ્યો હતો.આ મહાયજ્ઞમાં આશરે ૮૦ જેટલા યજમાનોએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર બેસીને મા લક્ષ્મીજીનું ષોડશોપચાર પૂજન-અર્ચન કર્યું હતું. મંત્રોચ્ચાર અને હોમ-હવનની પવિત્ર ભસ્મની સુવાસથી સમગ્ર આશ્રમ પરિસર ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું. આ ધાર્મિક મહોત્સવમાં હાંસોટ પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તોએ મા લક્ષ્મીજીના દર્શન કરી, આહુતિઓના દર્શનનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી. આશ્રમ પરિવાર દ્વારા તમામ શ્રદ્ધાળુઓ માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!