Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર: એમ.ટી.એમ. ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે સેમિનાર યોજાયો, ‘આત્મવિશ્વાસ સાથે ના કહેવાની કળા’ વિષય પર દીકરીઓને કરાઈ જાગૃત..

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે એમ.ટી.એમ. ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં દીકરીઓની સુરક્ષા, સ્વ-સુરક્ષા અને આત્મરક્ષણ અત્યંત જરૂરી બની ગયું છે, તેવા હેતુને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય વિષય “આત્મવિશ્વાસ સાથે ના કહેવાની કળા” રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થિનીઓને સમાજમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેવા, કુરિવાજો કે ખોટી પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવા તેમજ પોતાના આત્મસન્માન અને હકો માટે મક્કમતાથી ઉભા રહેવા પ્રેરિત કરવામાં આવી હતી.આ પ્રેરણાદાયી પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશ અંદાડીયા, કારોબારી ચેરમેન રાહુલ વામજા, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન શિલ્પા સુરતી, રોટરી ક્લબના પ્રમુખ સમીર પંડ્યા તેમજ સેક્રેટરી શૈલેન્દ્ર રાણા સહિતના અનેક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી ઉપસ્થિત મહાનુભાવોએ દીકરીઓને સ્વ-સુરક્ષાની તાલીમ, માનસિક મજબૂતી અને કોઈપણ વિપરીત કે મુશ્કેલ પરિસ્થિતિઓનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓને ચોમાસાની ઋતુમાં ઉપયોગી નીવડે તે માટે પ્રોત્સાહનાર્થે નિઃશુલ્ક છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!