Geo Gujarat News

આમોદ: બચ્ચોકા ઘર ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞ શિબિર યોજાઈ, મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

ભરૂચ-જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તથા આર્ટ ઓફ લિવિંગ (ભરૂચ), તવક્કલ સોલ્ટ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ તથા બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 283 મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.

આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકરા હોસ્પિટલના ડોકટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી. આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં અંદાજીત 50 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતવાળા મોતિયાના અંદાજીત 35 જેટલા દર્દીઓને આણંદ જિલ્લાનાં મોગર સ્થિત શંકરા આઈ હોસ્પિટલ ખાતે લઈ જઈ ઓપરેશન કરી આપવામાં આવશે. તેમજ દર્દીઓને હોસ્પિટલ ખાતે લઈ જવા સહિત ખાવા-પીવા તેમજ રહેવાની સગવડ પણ શંકરા આઈ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે. તેમ જણાવવામાં આવ્યું હતું.


નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાઓએ પણ ઉપરોક્ત હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આમોદના બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે દર મહિનાના ત્રીજા રવિવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમજ સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો પણ આયોજિત થતા હોય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. આયોજિત કેમ્પમાં 50 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત કૅમ્પમાં આવેલ દર્દીઓ સહિત સેવાઓ પ્રદાન કરનાર તબીબી ટીમને ચા, નાસ્તો, જમવાનું સહિતની વ્યવસ્થા બશિર રાણા સહિત બચ્ચોકા ઘરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ હતી. આમોદ-જંબુસર માર્ગ પર આવેલી બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરનું દવાખાનું આમોદ, પુરસા, આછોદ, મછાસરા, માંગરોલ, તણછા સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

યાસીન દિવાન – આમોદ

ગત મહિને પણ નેત્રરોગ નિદાન શિબિર યોજાઈ હતી.

આમોદ: બચ્ચોકા ઘર ખાતે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *