ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ડી.પી.શાહ વિદ્યામંદિર ખાતે દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ ઉમલ્લા દ્વારા આયોજીત “મફત કેન્સર નિદાન કેમ્પ ભરત કેન્સર હોસ્પીટલ,સુરતનાં સૌજન્યથી યોજાયો હતો.

જેમાં કેન્સર ના અનુભવી ડોક્ટર દ્વારા ઉપસ્થિતિ લોકોને કેન્સરના લક્ષણો તેમજ કેન્સર કેમ થાય છે. તેમજ તેના ઈલાજ ની સમ્પૂર્ણ માહિતી પ્રદાન કરી હતી અનુભવી ડૉકટર્સ ની ટીમ દ્વારા દર્દીઓને તપાસી યોગ્ય દવા તથા સલાહ સુચન આપવામાં આવ્યા હતા.આ કેન્સર નિદાન કેમ્પમા રાજપારડી તેમજ આજુબાજુ ગામના જરૂરિયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પ યોજવા સંસ્થાના ટ્રસ્ટીઓએ ભારે જેહમત ઉઠાવી હતી.

દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા અવર નવર મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. જેનો જરૂરિયાત મંદ દર્દીઓ લાભ લેતા હોય છે.આ કેમ્પમાં ટ્રસ્ટના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ ખુબ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com