Geo Gujarat News

ભરૂચ: કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો..

આજરોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વ. જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નેહરુનું મહત્વનું યોગદાન હતું.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાંખ્યો હતો ત્યારે દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મ જ્યંતી નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્પાંજલિના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના અગ્રીમ હરોળના આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *