Geo Gujarat News

ભરૂચ: રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો, ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત

ભરૂચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે દિવાળી નુતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને નુતનવર્ષ તેમજ દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો સાથે જ આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શરૂ થનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *