Geo Gujarat News

આમોદ: નર્મદા નિગમની જર્જરીત બિલ્ડિંગમાંથી યુવાનની લાશ મળતા ચકચાર, પોલીસે તપાસ શરૂ કરી

આમોદના પુરસા રોડ ઉપર આવેલી નર્મદા નિગમની જર્જરીત બિલ્ડિંગમાંથી આજ રોજ સવારે એક યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.મરણ જનાર યુવાનની આસપાસ લોહીનાં નિશાન જોવા મળતાં પોલીસે સ્થળ ઉપર પહોચી તપાસ હાથ ધરી હતી.લાશ મળી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં.

યુવાન જર્જરિત બિલ્ડીંગના પહેલાં માળેથી નીચે પડ્યો હોવાનું પોલીસનું અનુમાન:- આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના મહેશભાઇ બાબુભાઇ વાઘેલા ઉ.વ.૩૭ હાલ રહે.આમોદ.તા.આમોદ જી.ભરૂચ.મુળ રહે.નોંધણા તા.જંબુસર જી.ભરૂચ નાઓ આજ રોજ સવારે સાત કલાક પહેલા કોઇ પણ સમયે આમોદની નર્મદા નિગમની જર્જરીત બારી બારણા વગરની જુની કન્ડમ બીલ્ડીંગના પહેલા માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો જેથી તેને આમોદ સરકારી દવાખાનામાં લઇ જતા ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો.


આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઇ વાઘેલાએ ફરીયાદ આપતાં પોલીસે અકસ્માત ગુનો નોંધી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *