ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિયેશનના બે દિવસીય 10માં નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનની શરૂઆત આજે શુક્રવારે કરાઈ. પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવગંતોને મહાનુભવો સહિત ઉપસ્થિતોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. સાથે જ બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. BDMA ના બે દિવસીય કન્વેન્શનના ઉદ્દઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોનટેક સિંહ આહલુવાલિયા, 158 વર્ષ જૂની ભારત સરકારની બાલમેર લૌરી એન્ડ કંપનીના ચેરમેન અધિપ પાલ ચૌધરી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ COO કે સુરેશે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. સાથે BDMA ના પ્રમુખ દેવાંગ ઠાકોર, કન્વેશન ચેરમેન હરીશ જોષી તથા કૉ-ચેરમેન પ્રવિંદાન ગઢવી સહિતના હાજર રહી સહભાગી બન્યા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com