Geo Gujarat News

વાગરા: સવારે નોકરીએ જતા આધેડને કાળ ભેટ્યો, બાઇક સ્લીપ થતા કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી

વાગરા પંથકમાં આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ૫૭ વર્ષીય મનોજભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રીનું અવસાન થયું છે. આ દુર્ઘટનાથી તેમના પરિવાર અને સ્થાનિક સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ મનોજભાઈ મિસ્ત્રી જે ભરૂચના આલી કાછિયાવાડ વિસ્તારના રહેવાસી હતા આજે સવારે લગભગ ૧૦:૦૦ વાગ્યે તેમની બજાજ કંપનીની મોટરસાયકલ પર સાયખા G.I.D.C.માં આવેલી તેમની કંપનીની સાઈટ પર જઈ રહ્યા હતા.

આ અકસ્માત વિલાયત ગામથી વોરાસમની ગામ તરફ જતા રસ્તા પર વિલાયત ગામથી લગભગ એક કિલોમીટર દૂર થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મનોજભાઈની મોટરસાયકલ અચાનક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. મનોજભાઈ મિસ્ત્રીના અકાળ અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યો છે. આ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *