Geo Gujarat News

ભરૂચ: પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી માટે નબીપુર ગામમાં થનગનાટ, રોશનીથી ઝગમગ્યા ધાર્મિક સ્થળો

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગંબર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મદિવસ જેને ઇદે મિલાદ તરીકે ઓળખવામાં આવે છે, તેની ઉજવણી માટે નબીપુર ગામમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મુસ્લિમ કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલ મહિનાની ૧૨મી તારીખે, એટલે કે આગામી ૫મી સપ્ટેમ્બરે શુક્રવારના રોજ આ પવિત્ર દિવસ ઉજવવામાં આવશે.હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિવસના સ્વાગત માટે આખું નબીપુર ગામ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. ગામના તમામ ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગો, ગલીઓ અને મકાનોને રંગબેરંગી લાઇટો અને શણગારથી સજાવવામાં આવ્યા છે. આ દ્રશ્ય ગામમાં તહેવારની પૂર્વ તૈયારીઓનો અહેસાસ કરાવે છે અને શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાવે છે.ઈદે મિલાદના દિવસે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદમાં કુરાન ખવાની (કુરાનનું પઠન) કરીને પયગંબર સાહેબને યાદ કરવામાં આવશે. ત્યારબાદ, ગામના મુખ્ય માર્ગો પર એક ભવ્ય જુલુસ કાઢવામાં આવશે, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાશે.ઉજવણીના ભાગરૂપે ગામની ભાગોળે જરૂરિયાતમંદો માટે નિયાઝ વિતરણ પણ કરવામાં આવશે. આ દિવસનો સૌથી ખાસ પ્રસંગ જુમ્મા મસ્જિદમાં પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના મુએ મુબારકના દર્શન કરાવવાનો છે. આ દર્શન શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે અને ધાર્મિક ભાવનાઓને વધુ મજબૂત બનાવશે. સલીમ કડુજી, નબીપુર

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *