ભરૂચની કે.જે. પોલિટેકનિક કોલેજના સાયન્સ એન્ડ હ્યુમેનિટિઝ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસના વિશેષ સહયોગથી એક દિવસીય ‘માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનાર’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વર્ગમાં ટ્રાફિક શિસ્ત અને રોડ સેફ્ટી પ્રત્યે જવાબદારી કેળવવાનો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસના પીએસઆઈ આર.આર. ગોહિલ, તેમની ટીમ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ખાસ હાજરી આપીને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.
સેમિનાર દરમિયાન પીએસઆઈ ગોહિલ અને પોલીસ ટીમે હેલ્મેટ-સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, સ્પીડ લિમિટનું પાલન અને ડ્રાઇવિંગ વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. પીએસઆઈ ગોહિલે સ્પષ્ટ કર્યું હતું કે માર્ગ સુરક્ષા એ માત્ર કાનૂની પાલન નથી, પરંતુ અમૂલ્ય માનવજીવન બચાવવાની એક નૈતિક જવાબદારી છે. સંસ્થાના આચાર્યએ આ પહેલને બિરદાવી હતી, અને સેમિનારના અંતે તમામ વિદ્યાર્થીઓએ પોતે ટ્રાફિક નિયમો પાળવા તેમજ સમાજમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com