
“જન સેવા એ જ પ્રભુ સેવા” અંતર્ગત નવયુગ વિદ્યાલય જંબુસરમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જે અનુસંધાને આજરોજ નવયુગ વિદ્યાલયમાં 292મો નેત્ર યજ્ઞ યોજાયો જેમાં ગરમી ના કારણે લગભગ 45 જેટલા દર્દીઓએ લાભ લીધો જેમાંથી જેમને મોતિયા ,વેલ , છારી અને ઝામર ના પ્રોબ્લેમ છે તેવા દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ(મોગર)માં લઈ જઈ સારવાર કરી રહેવા ,જમવા , મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી દવા, ચશ્મા તથા પરત મૂકી જવાની તમામ સુવિધાઓ ની: શુલ્ક રહેશે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com