Geo Gujarat News

પાટણ: ચાણસ્માના બેચરાજી ત્રણ રસ્તા પાસે દિશા સુચક બોર્ડ ન હોવાથી અકસ્માતની ભીતી

ચાણસ્માથી ગોઝારીયા સુધીનો ફોરલેન હાઇવે બનાવવાનું કામ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટ મારફતે પુરજોશમાં ચાલી રહ્યું છે.ત્યારે ચાલું ફોરલેન હાઇવે ના કામ દરમિયાન કેટલીક જગ્યાએ બ્રિજ આવતા હોય છે.તેમજ ચાણસ્મા ખાતે આવેલ બેચરાજી ત્રણ રસ્તા પાસે પણ બ્રિજ આવતો હોય તેનું પણ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.ત્યારે ચાલું કામ દરમિ યાન બનતા બ્રિજ ના કામની આજુબાજુ એટલી માત્રા માં આડશો મુકવામાં આવી છે કે સામ સામે થી આવતાં વાહનો જ દેખાતાં નથી.ત્યારે આ આડશો કોઈ મોટા અકસ્માત ને આમંત્રણ આપે તો નવાઈ નહીં.

મળતી માહિતી મુજબ પાટણ જીલ્લાના ચાણસ્મા ખાતે આવેલ બેચરાજી ત્રણ રસ્તા પાસે બની રહેલા બ્રિજ ના કામકાજ દરમિયાન મોટા પ્રમાણમાં આજુબાજુ આડશો મૂકી દેવામાં આવી હોવાના કારણે સામ સામે થી આવતા વાહનો એકબીજા ને દેખાતા ન હોવાનો પણ પ્રશ્ન ઉદ્દભવ્યો છે ત્યારે આ બાબતે કોઇ મોટો અકસ્માત થવાની સંભાવના પણ વાહનચાલકો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સત્વરે તંત્ર દ્વારા આડશો દુર કરી દિશા સુચક બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *