કાર્યક્રમની શરૂઆત “.તુંહી રામ હે તું રહીમ હે” પ્રાર્થનાથી થઈ હતી. મહેમાનોના સ્વાગત બાદ શાળામાં નવા પ્રવેશ લીધેલ બાળકોને પુસ્તક વિતરણ, શાળાના જુદા જુદા ક્ષેત્રમાં નામના પ્રાપ્ત કરી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીની કુમારી ક્રિષ્નાબેન વિરલભાઈ જડીયાએ શાળાના શિક્ષક નિલેશભાઈ તિવારીના માર્ગદર્શન મૂજબ કર્યું હતું .

આ પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી રાઠોડ સાહેબ, લાઇઝન અધિકારી પ્રવીણભાઈ મહિડા તથા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું . અંતે મહેમાનોના હાથે વૃક્ષારોપણનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com