ભરૂચના ટંકારીયા સ્થિત એમ એ એમ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ નવી પેઢી શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ રુચિ ધરાવતી થઇ છે. નવી પેઢીના બાળકો સહિત યુવા વર્ગ પોતે ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરી પોતાના પરિવારને મદદરૂપ બનવા ઉત્સુક બન્યો છે. ત્યારે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉત્સુક યુવા વર્ગને નિશુલ્ક સેમીનારો યોજી પ્રોત્સાહિત કરી એક ઉમદા તેમજ સરાહનીય કાર્ય કરી રહી છે.
ઇ એસ પી આઇ વિઝા કન્સલ્ટન્ટ્સ પ્રા. લિમિટેડ દ્વારા એમ.એ.એમ. ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કૂલ ટંકારીયા ખાતે વિદેશમાં અભ્યાસ માટે અને સ્થળાંતર કરવા ઇચ્છુક લોકો માટે નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત સેમિનારમાં ઘણા છાત્રોએ ભાગ લીધો હતો આયોજકોએ સેમિનારમાં ભાગ લેનાર છાત્રોને પ્રશ્નો પૂછ્યા હતા અને છાત્રોએ પ્રશ્નોના ઉત્તરો આપી ઇનામ મેળવ્યા હતા. આયોજકોએ સેમિનારમાં ભાગ લેનાર છાત્રોને રસપ્રદ માહિતી સાથે સાથે ખુબ સરસ માર્ગદર્શન આપ્યું હતું. આયોજકોએ છાત્રોની ગેરસમજ દૂર કરી છાત્રોને મદદરૂપ બનવા પણ બાંહેધરી આપી હતી.