Geo Gujarat News

ઝઘડિયા: રૂંઢ ગામે સરકારી દવાખાના નજીક વીજ કરંટ લાગતા ત્રણ બકરાઓના મોત નિપજ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે ઇલેક્ટ્રિક કરંટ લાગતા ત્રણ બકરાના મોત થયા છે , આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી મહતી મુજબ ચંપા બેન ગતરોજ બપોરના સમયે બકરાઓ તેમજ ઘેટાઓ લઈને રૂંઢ ગામની સીમમાં ચરાવવા ગયેલ હતા અને બકરાઓ ચરાવીને ઘરે આવવા સારુ નિકળેલી હતા તે સમયે 4 વાગ્યાના અરસામાં ગામના સરકારી દવાખાના પાસે આવતા દવાખાનાના ગેટની આગળના ભાગે બકારાઓ ગયા હતા ત્યાં ઈલેક્ટ્રિક થાંભલા પાસેના અરથીંગ વાયરમાં બકરીઓને કરંટ લાગતા મોત થયું હતું, પશુપાલક ના દીકરા સાવનભાઈએ જી.ઈ.બી ના કર્મચારીને જાણ કરતા જી.ઈ.બીના કર્મચારી બનાવવાળી જગ્યાએ આવી ગયેલ અને તેઓએ તપાસ કરતા તેઓએ અમોને જણાવેલ કે વરસાદ તેમજ પવનના કારણે એલ.ટી લાઇનનો ફેઝ વાયર જી.આઈ ના વાયર સાથે ટચ થતા કરંટ થાંભલાના અથિંગ વાયર ઉપર ઉતરેલ છે જેથી સદર ઈલેક્ટ્રીક થાંભલાના અથિંગ તાર ઉપર કરંટ ઉતરવાના કારણે ત્રણેવ પશુઓ મરીજતા પશુપાલકને ૨૧૦૦૦/- રુપિયાનુ નુકશાન થયું જે બાબત રાજપારડી પોલીસ મથકે ચંપા બેન જાહેરાત લખાવી હતી.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *